Advertisement

શરદી થઈ હોય તેના આયુર્વેદ ઉપચાર

શરદી થઈ હોય તેના આયુર્વેદ ઉપચાર
---------------------------------------------------

  • ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
  • ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.
  • સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  • નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.
  • રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
  • આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.
  • રાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે.
  • ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  • અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે.
  • ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
  • મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  • લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે.
  • પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે.
  • કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
  • હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તરત જ મટે છે.
  • રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે.
  • કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે.
  • ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
  • ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે.
  • લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવાથી શરદી સળેખમ મટે છે.
  • સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. 
  • વરસતાવરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
  • સૂંઠ, તેલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.
  • સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે.
  • તુલસીનાં પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
  • તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ મટે છે.
  • તુલસી, સૂંઠ, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગમે તેવી શરદી મટી જાય છે.
  • ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.

શરદી થઈ હોય તેના આયુર્વેદ ઉપચાર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ