Advertisement

સારા સ્વાસ્થ્યની શુ છે નિશાની ?

સારા સ્વાસ્થ્યની શુ છે નિશાની ?
-----------------------------------------------

  • સારા સ્વાસ્થ્યની શુ છે નિશાની ?
    -ગાઢ ઉંધ

    કેટલીક એવી નાની નાની બાબતો ની આપણે ધ્યાન આપતા નથી.
    જેવી કે તમારા બેડરૂમમાં જરા આસપાસ નજર કરો.
    તમાર સૂવાના બેડ(પલંગ) પર કંઈ કેટલાય કપડાં પડયા હોય છે, તો બેડ(પલંગ) પેલા સાફ કરો.
    રૂમમાં હવાની આવનજાવન ઓછી હોય છે ,તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થાય તો બારીઓ ખોલવી અને આજુબાજુ કયાંયથી દુર્ગંધ આવતી હોય, કુટુંબમાં મોટે મોટેથી વાતચીત કરતા હોય તો આ બધી બાબતનો ઈલાજ કરવો જોઈએ.
    રાત્રે વધારે ખવાઈ ગયું હોય તોપણ ઉંઘ આવતી નથી તો સૂતાં પહેલા વધારે ચા અથવા કોફી પીધી હોય, આવી બધી નાની નાની બાબતો ઉંઘ સાથે સીધો સંબંધ ધરાવે છે.
    સામાન્ય સ્થિતિમાં જયારે આપણું શરીર થાકી જાય છે.ત્યારે તેની શકિતઓ શિથિલ બની જાય છે.માંસપેશીઓનાં તંતુ તૂટી જાય છે.નાડીના ધબકારા ધીમા થઈ જાય છે.બ્લડ પ્રેશર લો થઈ જાય છે શરીરનું તાપમાન પણ નીચે ઉતરી જાય છે.આવી સ્થિતિમાં શરીરમાં ઉભા રહેવાની તાકાત રહેતી નથી.શરીર કામ કરવા લાયક રહેતું નથી. તે જાતે જ પથારીમાં સૂઈ જાય છે.અને તેની આંખો બંધ થઈ જાય છે.એ બધી સ્થિતિઓ ગાઢ, સારી ઉંધની છે.
    આ રીતની સ્વસ્થ ઉંઘને વૈજ્ઞાનિક ‘નેમસ્લીપ’કહે છે. તેનાથી વિરુધ્ધ “રેમસ્લીપ” ઉંધની અસામાન્ય સ્થિતિ છે.
    જયારે માણસ પથાશીમાં તો પડ્યો છે. પરંતુ તેનું શરીર હલન – ચલન કરતું રહે છે તે પડખાં બદલતો રહે છે.
    ધીમા પ્રકાશ કે અવાજથી તે પરેશાન થઈ જાય છે. ઉઠીને બેસે છે.
    વૈજ્ઞાનિકો માને છે કે વ્યકિત પથારીમાં પડતાં જ સૂઈ જાય છે. તે શારીરિક દ્રષ્ટિએ સારું છે.
    પરંતુ કેટલાયે લોકો એવા પણ હોય છે, જેમને ઘણા સમયથી પછી ઉંઘ આવે છે. પરંતુ જયારે ઉંઘ આવે છે. ત્યારે સારી આવી જાય છે. આવી ઉંઘ ચીંતાનો વિષય નથી. પરંતુ તે તો એક આદત છે.પરંતુ જો સૂવાના સમયે ઉંઘ ન આવે તો એ સ્થિતિ ખતરનાક થઈ શકે છે.
    તે સ્થિતિને અનિંદ્રા કહે છે એ સ્થિતિ વિચારવા જેવી છે.
    યુવાન અવસ્થામાં અનિંદ્રામાં કારણો શોધવા, હ્રદયની પરેશાની, તાવ, માનસિક તનાવ, શારીરિક તકલીફ ચોટ,સારી કે ખરાબ ઉત્તેજના ચીંતા, ઊંચા લોહીનું દબાણ, નલોનું ગંઠાવું, ઈન્ફેકશન, કોઈપણ કારણ હોઈ શકેછે.
    ચિંતા તનાવ વગેરે માટે કોઈને પણ ખૂલ્લા દિલથી વાત કરવાનું લાભદાયક હોય છે. તેના માટે તમે
    તમારા પરિવારના તબીબોને પણ કહી શકો છો. અથવા મનોચિકિત્સકને તમારા મનની વાત કહી શકો છો. માનસિક ચીંતાઓ તો કોઈને કહેવાથી અડધી ચીંતાઓ દૂર થઈ જાય છે. અથવા સમસ્યાઓ ન હોય તો, અને ઉંઘ પણ ન આવતી હોય તો ૧૫- ૨૦ વખત આંટા મારવા ભલે તમે રૂમમાંઆંટા મારો.
    તાજી હવા વધારે લાભદાયક હોય છે પગ, હાથ મોં અને ગરદનને હુંફાળા પાણીથી ધોવો. પગમાં હળવે હાથે મસાજ કરવો વાળ ખૂલ્લા કરીને માથામાં આંગળીઓથી ઘસવું. લોહીનો પ્રવાહ સારી રીતે પ્રવાહિત થવાથી મગજ અને હ્રદયને તાજુ રાખશો ઉંઘ આવવા માંડશે. એ વિચારો કે તમે કોઈ ખાવા-પીવાની ઈચ્છાને તો દબાવી રાખી નથી ને ! તમને ભૂખ તો નથી લાગીને ! અગર એવું હોય તો ગરમ દૂધ અથવા કોફીની સાથે હલકો એવો નાસ્તો ખાઈ લ્યો. તેનાથી મન શાંત થશે. ખાવાની ઈચ્છા ન હોય તો કોઈ ચોપડી વાંચો ઉંઘ જરૂર આવશે.

સારા સ્વાસ્થ્યની શુ છે નિશાની ?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ