Advertisement

આંખ ની સારવાર માટે શુ કરવું જોઈએ ?

 

આંખ ની સારવાર માટે શુ કરવું જોઈએ ?
------------------------------------------------------

  • આંખ ની સારવાર માટે શુ કરવું જોઈએ ?

  • આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેની પુળજી કાળજી રાખવી.
  • વધારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચવું જોયે નહીં.
  • રાતના ઉજાગરા બોવ ના જ કરવા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ હોય ત્યારે મેલા કે ગંદા ટુવાલ(રૂમાલ)નો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો જોઈએ. 
  • વધુ પડતી ફિલ્મો,મોબાઈલ ફોન  અને ટી. વી. જોવાથી પણ આંખ જરૂર બગડે છે.
  • આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ- પાટો, સિંદુર વગેરે આંજશો નહીં.
  • આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એક જ નજરે કોઈ વસ્તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.
  • બિનજરૂરી શોખનાં ચશ્મા પેરવા થી પણ આંખો બગડે છે.
  • ધૂળ- કચરો કે કાંકરી પડે તેવું લાગે ત્યારે ગોગલ્સ પહેરવા લીલોતરી, હરિયાળો પટ જોવાની ટેવ પાડો, આંખનું તેજ ટકશે.
  • નજીકનું વંચાય નહીં કે કાળા પાટિયા ઉપરનું બરાબર દેખાય નહીં તો તરત આંખના ડૉકટરની સલાહ લેવી.
  • આપણે જયારે વાંચતા લખતા આંખ થાકી જાય ત્યારે થોડી વાર માટે આંખ બંધ કરીને તેને આરામ આપો.
  • આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવાની પાડવી જોઈએ .
  • સૂર્યગ્રહણ સામે જોવાથી ક્યારેક કાયમી દ્રષ્ટિ જતી રહે છે.
  • આંખની બરબાદી અટકાવવા પેટ સાફ આવે તેવી ચીવટ રાખો.
  • હોજરીમાં ગરમી કે ખટાશ વધી જવાથી આંખો ઉઠી આવે છે.
  • આંખમાં દાહ, વેદના સાથે પાણી ટપકતું હોય, આંજણી, ખીલ કે અન્ય ફરિયાદ હોય ત્યારે આંખમાં દવાઓ ઠાલવવાને બદલે પાચનક્રિયા સુધારવા તરફ ખાસ ધ્યાન આપો.
  • લીલા શાક, કચુંબર, ભાજીઓ, મગ, મગની દાળનું ઓસામણ અને ભાત જેવો હળવો ખોરાક લેવો.
  • બને તો એક-બે ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે.

આંખ ની સારવાર માટે શુ કરવું જોઈએ ?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ